2 Gujarat No Sanskrutik Varso Mcq, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ, Gujarat No Sanskrutik Varso Mcq pdf, Gujarat No Sanskrutik Varso Test, ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
ભાગ : | 2 (દ્વિતીય) |
MCQ : | 51 થી 100 |
2 Gujarat No Sanskrutik Varso Mcq (51 To 60)
(51) ‘પિઠોરા’ શું છે?
(A) આદિવાસી ચિત્રકળા
(B) આદિવાસી તહેવાર
(C) આદિવાસી નૃત્ય
(D) આદિવાસી સંગીત
જવાબ : (A) આદિવાસી ચિત્રકળા
(52) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું?
(A) 1906
(B) 1913
(C) 1916
(D) 1919
જવાબ : (C) 1916
(53) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે?
(A) ભૂંગળ
(B) કરતાલ
(C) ઢોલક
(D) એકતારો
જવાબ : (A) ભૂંગળ
(54) ત્રણ પ્રવેશ દ્વારોવાળી વાવને કહેવાય છે?
(A) જયા
(B) વિજયા
(C) ભદ્રા
(D) નંદા
જવાબ : (A) જયા
(55) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે?
(A) રાજાઓ
(B) ધનાઢ્ય વેપારીઓ
(C) પુષ્ટી સંપ્રદાયો
(D) માનભટ્ટો
જવાબ : (C) પુષ્ટી સંપ્રદાયો
(56) નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે?
(A) વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ
(B) બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર
(C) કચ્છ મ્યુઝીયમ, ભૂજ
(D) બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા
જવાબ : (C) કચ્છ મ્યુઝીયમ, ભૂજ
(57) વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી?
(A) અમદાવાદ
(B) વડોદરા
(C) રાજકોટ
(D) ભાવનગર
જવાબ : (A) અમદાવાદ
(58) સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યું?
(A) વીરજી વોરા
(B) શાંતિદાસ ઝવેરી
(C) ભીમજી પારેખ
(D) શેઠ ભીકનદાસ
જવાબ : (C) ભીમજી પારેખ
(59) હિન્દી ફિલ્મ ‘ઉમરાવજાન’માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી?
(A) ભાનુ અથૈયા
(B) મૃણાલિની સારાભાઈ
(C) સોનલ માનસિંગ
(D) કુમુદિની લાખિયા
જવાબ : (D) કુમુદિની લાખિયા
(60) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ‘ભોજક’ માંથી ‘સુંદરી’ બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે?
(A) નૈપથ્ય
(B) થોડા આંસુ થોડા ફુલ
(C) નાટક સરખો નાદર હુન્નર
(D) કોયલ કાહે શોર મચાયે
જવાબ : (B) થોડા આંસુ થોડા ફુલ
2 Gujarat No Sanskrutik Varso Mcq (61 To 70)
(61) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?
(A) રવિશંકર મહારાજ
(B) મનુભાઈ પંચોળી ‘દર્શક’
(C) પરીક્ષિણ મજમુદાર
(D) નાનાભાઈ ભટ્ટ
જવાબ : (D) નાનાભાઈ ભટ્ટ
(62) ‘ઝંડા-ઝુલણ’ સાથે કઈ કળા જોડાયેલી છે?
(A) ભરતકામ
(B) નાટ્ય
(C) ભવાઈ
(D) સ્થાપત્ય
જવાબ : (C) ભવાઈ
(63) સાહિત્યકૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે?
(A) ભાનુ અથૈયા
(B) સોનલ માનસિંહ
(C) સુનીલ કોઠારી
(D) એકપણ નહીં
જવાબ : (B) સોનલ માનસિંહ
(64) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે?
(A) ભદ્રેશ્વર
(B) હસ્તગિરી
(C) પાલિતાણા
(D) તારંગા
જવાબ : (D) તારંગા
(65) મલ્લિકા સારાભાઈ ક્યા નૃત્યના જ્ઞાતા છે?
(A) મોહિની અટ્ટમ
(B) ભરતનાટ્યમ અને મણિપુરી
(C) ભરતનાટ્યમ અને કુચીપુડી
(D) કથક
જવાબ : (C) ભરતનાટ્યમ અને કુચીપુડી
(66) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની…………શૈલીનો છે.
(A) નાગર શૈલી
(B) ગોથિક શૈલી
(C) તળપદા સ્થાપત્ય
(D) ઈરાની શૈલી
જવાબ : (A) નાગર શૈલી
(67) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) બનાસકાંઠા
(B) પાટણ
(C) સાબરકાંઠા
(D) મહેસાણા
જવાબ : (D) મહેસાણા
(68) મોઢેરાંનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) મહેસાણા
(B) સાબરકાંઠા
(C) અમદાવાદ
(D) ખેડા
જવાબ : (A) મહેસાણા
(69) નીચેનામાંથી ક્યું લોકનૃત્ય ગુજરાતનું નથી?
(A) બિહુ
(B) મેર રાસ
(C) ટિપ્પણી
(D) હૂડો
જવાબ : (A) બિહુ
(70) ગોળ ગધેડાનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
(A) દાહોદ
(B) બનાસકાંઠા
(C) ભરૂચ
(D) સુરત
જવાબ : (A) દાહોદ
2 Gujarat No Sanskrutik Varso Mcq (71 To 80)
(71) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે?
(A) આણંદ
(B) અમદાવાદ
(C) પેટલાદ
(D) નવસારી
જવાબ : (B) અમદાવાદ
(72) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ર્ડા.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો?
(A) 1951
(B) 1949
(C) 1953
(D) 1955
જવાબ : (A) 1951
(73) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.
(A) બોચાસણ
(B) ગઢડા
(C) સાળંગપુર
(D) ગોંડલ
જવાબ : (C) સાળંગપુર
(74) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો.
(A) આનંદનગર
(B) વડાદરા
(C) વડુથલ
(D) આનંદપુર
જવાબ : (D) આનંદપુર
(75) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી’ બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો.
(A) પ્રફુલ્લભાઈ ખરસાણી
(B) જયશંકર ભોજક
(C) પ્રભાશંકર ત્રિવેદી
(D) અરવિંદ વૈધ
જવાબ : (B) જયશંકર ભોજક
(76) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
(A) સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
(B) સ્વામીશ્રી ગંગેશ્વરનંદજી મહારાજ
(C) સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
(D) સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ
જવાબ : (B) સ્વામીશ્રી ગંગેશ્વરનંદજી મહારાજ
(77) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.
(A) ધર્મસાગરસુરીશ્વરજી
(B) વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.
(C) યુગભૂષણસરીશ્વરજી
(D) બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
જવાબ : (D) બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
(78) કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે?
(A) જખનો મેળો
(B) ચિત્રવિચિત્રનો મેળો
(C) રવેચીનો મેળો
(D) રાપરદેવનો મેળો
જવાબ : (C) રવેચીનો મેળો
(79) ‘ભારતના માંચેસ્ટર’ તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું?
(A) સુરત
(B) રાજકોટ
(C) વલસાડ
(D) અમદાવાદ
જવાબ : (D) અમદાવાદ
(80) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે?
(A) જામનગર
(B) પાટણ
(C) મોરબી
(D) સુરત
જવાબ : (A) જામનગર
2 Gujarat No Sanskrutik Varso Mcq (81 To 90)
(81) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે?
(A) અંધશાળા
(B) બહેરા-મૂંગાની શાળા
(C) પેરાપ્લેજીયા હોસ્પિટલ
(D) અનાથ આશ્રમ પ્રવૃત્તિ
જવાબ : (A) અંધશાળા
(82) “વેશ” સાથે કોનું નામ સંકળાયેલું છે?
(A) અસાઈત
(B) ડો.બળવંત જાની
(C) જયશંકર સુંદરી
(D) ડો.નરેશ વેદ
જવાબ : (A) અસાઈત
(83) ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ?
(A) રવિશંકર મહારાજ
(B) રવિશંકર રાવળ
(C) પંડિત રવિશંકર
(D) શ્રી શ્રી રવિશંકર
જવાબ : (B) રવિશંકર રાવળ
(84) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે ક્યું સ્થળ જાણીતું છે?
(A) પ્રભાસપાટણ
(B) સિદ્ધપુર
(C) ચાણોદ
(D) દ્વારકા
જવાબ : (B) સિદ્ધપુર
(85) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય?
(A) જયશંકર સુંદરી
(B) મૃણાલિની સારાભાઈ
(C) મલ્લિકા સારાભાઈ
(D) સ્મિતા શાસ્ત્રી
જવાબ : (A) જયશંકર સુંદરી
(86) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે?
(A) લઘુચિત્ર
(B) પિછવાઈ
(C) આધુનિક
(D) કોઈ નહીં
જવાબ : (B) પિછવાઈ
(87) એલિસબ્રીજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે?
(A) અંગ્રેજ અધિકારીનાં પત્ની
(B) એલિસ ઈન વન્ડરલેન્ડ
(C) અંગ્રેજ અધિકારી
(D) આમાંના કોઈ જ નહીં
જવાબ : (A) અંગ્રેજ અધિકારીનાં પત્ની
(88) દિવાળીબેન ભીલનું નામ ક્યા સંગીત સાથે જોડવામાં આવે છે?
(A) લોક સંગીત
(B) શાસ્ત્રીય સંગીત
(C) ફિલ્મી ગીતો
(D) સુગમ સંગીત
જવાબ : (A) લોક સંગીત
(89) ‘જય જય ગરવી ગુજરાત’ના રચયિતા કવિ કોણ?
(A) દયારામ
(B) નર્મદ
(C) નરસિંહ મહેતા
(D) દલપતરામ
જવાબ : (B) નર્મદ
(90) સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે?
(A) ખ્રિસ્ત્રી
(B) યહૂદી
(C) બૌદ્ધ
(D) શીખ
જવાબ : (B) યહૂદી
2 Gujarat No Sanskrutik Varso Mcq (91 To 100)
(91) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમૂક ઈમારતોનું નિર્માણ કર્યું હતું?
(A) ચાર્લ્સ કોરિયા
(B) જેકબસન
(C) લા કોરબુઝિયેર
(D) આમાંના કોઈ નહીં
જવાબ : (C) લા કોરબુઝિયેર
(92) મકરસંક્રાંતિનો અર્થ શું છે?
(A) ગુરુનો મકર રાશિમાં પ્રવેશ
(B) સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન
(C) સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
(D) ગુરુનું મકર રાશિમાં પ્રસ્થાન
જવાબ : (C) સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
(93) બચુભાઈ રાવત ક્યા સામયિક સાથે સંકળાયેલા હતા?
(A) કુમાર
(B) પરબ
((C) અખંડ આનંદ
(D) કવિતા
જવાબ : (A) કુમાર
(94) તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
(A) સુરેન્દ્રનગર
(B) રાજકોટ
(C) અમરેલી
(D) ભાવનગર
જવાબ : (A) સુરેન્દ્રનગર
(95) માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું?
(A) અંબાજી
(B) ચોટીલા
(C) કચ્છ
(D) પાવાગઢ
જવાબ : (C) કચ્છ
(96) જહાંગીર સબાવાલા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
(A) ફોટોગ્રાફી
(B) ચિત્રકળા
(C) અભિયાન
(D) લેખન
જવાબ : (B) ચિત્રકળા
(97) ગુજરાતમાં વિક્રમ સંવત અનુસાર નીચે આપેલા તહેવારોને મહિનાઓ મુજબ ગોઠવતાં સાચો ક્રમ કયો છે?
(1) દશેરા |
(2) હોળી |
(3) ગણેશચતુર્થી |
(4) ગુરુપૂર્ણિમા |
(5) રક્ષાબંધન |
(A) 3-4-5-1-2
(B) 4-5-3-1-2
(C) 2-4-5-3-1
(D) 5-3-1-2-4
જવાબ : (C) 2-4-5-3-1
(98) ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો?
(A) વ્યારા
(B) વાલોડ
(C) સાબરમતી આશ્રમ, અમદાવાદ
(D) વઘઈ
જવાબ : (A) વ્યારા
(99) ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
(A) સંગ્રહાલય : જૂનાગઢ, 1849
(B) મહિલા સહકારી બેંક : સુરત, 1994
(C) અનાથાશ્રમ : અમદાવાદ, 1892
(D) અ ઔદ્યોગિક વસાહત : વાપી, 1968
જવાબ : (C) અનાથાશ્રમ : અમદાવાદ, 1892
(100) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ‘ ક્યા વિદ્વાનોએ તૈયાર કરેલ?
(A) શ્રી ધીરુભાઈ ઠાકર
(B) શ્રી ચંદુલાલ બહેચરભાઈ પટેલ
(C) કવિ નર્મદ
(D) ગોવર્ધનરામ ત્રિપાઠી
જવાબ : (B) શ્રી ચંદુલાલ બહેચરભાઈ પટેલ
Also Read :
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ ભાગ 1