Class 6 Social Science Chapter 16 Swadhyay (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્વાધ્યાય)

Class 6 Social Science Chapter 16 Swadhyay
Class 6 Social Science Chapter 16 Swadhyay

Class 6 Social Science Chapter 16 Swadhyay

Class 6 Social Science Chapter 16 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 16 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 16 સ્થાનિક સરકાર

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :

(1) આપણે પંચાયતીરાજનું…………સ્તરનું માળખું સ્વીકારેલ છે.

ઉત્તર : ત્રણ

(2) ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી………….ની નિમણૂક કરવામાં આવે છે.

ઉત્તર : તલાટી-કમ-મંત્રી

(3) તાલુકાના વહીવટી વડાને………કહે છે.

ઉત્તર : તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)

(4) સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર……………પંચાયત છે.

ઉત્તર : જિલ્લા

(5) ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું………….વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.

ઉત્તર : બે

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

(1) મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે?

ઉત્તર : મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.

(2) જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે?

ઉત્તર : જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે.

(3) મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે?

ઉત્તર : મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે.

(4) મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે?

ઉત્તર : મહાનગરપાલિકામાં 50 % મહિલા અનામત સભ્યો હોય છે.

(5) મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે ?

ઉત્તર : મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહી શકે છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો :

(1) ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.

ઉત્તર : ગ્રામપંચાયતનાં કાર્યો આ પ્રમાણે છે : (1) ગામના દરેક ઘરને નંબર આપવા. (2) ઘરવપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી. (3) ગામમાં જાહેર રસ્તાઓ બનાવવો. (4) ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. (5) જાહેર મિલકતોની જાળવણી કરવી. (6) ગામમાં આરોગ્યવિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી. (7) ગામમાં દીવાબત્તી (લાઇટ)ની વ્યવસ્થા કરવી. (8) ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો. (9) ગ્રામવિકાસનું આયોજન કરવું. (10) ગામનાં ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી. (11) જમીન દફતરની જાળવણી કરવી. (12) જન્મ-મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી.

(2) સ્થાનિક સરકાર એટલે શું? સમજાવો.

ઉત્તર : સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને સ્થાનિક સ્વરાજ્ય’ કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.

(3) તલાટી-કમ-મંત્રી કયાં કયાં કાર્યો કરે છે?

ઉત્તર : તલાટી-કમ-મંત્રી આ કાર્યો કરે છે : (1) તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે. (2) તે કરવેરાની વસૂલાત કરે છે. (3) તે ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. (4) તે ગ્રામપંચાયતનાં સૂચનોનો અમલ કરે છે.

પ્રશ્ન 4. ટૂંક નોધ લખો :

(1) મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.

ઉત્તર : મહાનગરપાલિકાનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે : (1) જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી. (2) શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું. (3) ગદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટરયોજનાની વ્યવસ્થા કરવી. (4) શહેરમાં સાફસફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો. (5) પાકા રસ્તાઓ તૈયાર કરાવવા સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા. (6) શહેરના રસ્તાઓ પર દીવાબત્તી (સ્ટ્રીટ લાઇટ)ની વ્યવસ્થા કરવી. (7) પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો. (8) આગ બુઝાવવા માટેનું તંત્ર (ફાયર બ્રિગેડ) ઊભું કરવું. (9) જન્મ-મરણ તેમજ લગ્નની નોંધ રાખવી. (10) ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી. (11) જાહેર દવાખાનાં, ઇસ્પિતાલો, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગબગીચા વગેરે બાંધવાં અને તેમનું સંચાલન કરવું.

(2) સામાજિક ન્યાયસમિતિ

ઉત્તર : સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાથ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. પંચાયતીરાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાયસમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે.

(3) પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા

ઉત્તર : (1) કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. (2) તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે. (3) તે જિલ્લા સ્તરે બધા વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે. (4) તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે. (5) તે ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. (6) તે ગ્રામપંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. (7) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. ખરેખર, પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય